ઉપરાષ્ટ્રપતિએ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વૈજ્ઞાનિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વૈજ્ઞાનિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય સંભાળ એટલે માત્ર તબીબી સારવાર નથી પણ તેમાં વ્યક્તિની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી અને સમુદાયના સામાજિક અને આર્થિક વાતાવરણનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, આયુષ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનનું આયોજન આયુષ મંત્રાલય હેઠળ હોમિયોપેથીમાં સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું છે. હોમિયોપેથીના સ્થાપક ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમનની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે 10મી એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે.
