એસ.એન. ગોયન્કા શતાબ્દી વર્ષ સમારોહમાં પીએમ મોદીએ આપ્યો વીડિયો સંદેશ
Live TV
-
એસ.એન. ગોયન્કા શતાબ્દી વર્ષ સમારોહમાં પીએમ મોદીએ આપ્યો વીડિયો સંદેશ
એસ. એન. ગોયન્કાની શતાબ્દી વર્ષ સમાપ્તી સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું, કે જ્યારે આપણે ઉપાસનાની વાત કરીએ છીએ ત્યારે ગોયન્કાજીના વિચાર અને સમાજ પ્રત્યે તેમના સમર્પણથી ખૂબજ પ્રેરણા મળે છે. એકજુથતા અને એકતાની આ શક્તિ વિકસિત ભારતનો મોટો આધાર છે. ગોયન્કાજીએ વિપશ્યનાને ઊંડાઇથી આત્મસાત કર્યું હતું. તેમનું એકજ મિશન હતું "વિપશ્યના". તેમનું યોગદાન સમગ્ર માનવતા અને સમગ્ર વિશ્વ માટે હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કે વિપશ્યના, એ ધ્યાનની પ્રાચીન ભારતીય પધ્ધતિની છે જે સમગ્ર વિશ્વ માટે અદભુત ભેટ છે.
