કૃષિ બિલથી દેશના તમામ ખેડૂતોને ફાયદો થશેઃ કૃષિ નિષ્ણાંત અવનીન્દ્ર શ્રીવાસ્તવ
Live TV
-
કૃષિ નિષ્ણાંત અવનીન્દ્ર શ્રીવાસ્તવ કૃષિ ક્ષેત્રમાં છેલ્લા 23 વર્ષથી સક્રિય છે. જેમનો અભ્યાસ પણ કૃષિ વિષય સાથે જ થયો છે. જેમણે તાજેતરમાં કેન્દ્ર સરકારમાં પાસ થયેલ 3 બિલને લઇને પોતાનો મત રજૂ કર્યો હતો.
કૃષિ નિષ્ણાંત અવનીન્દ્ર શ્રીવાસ્તવ કૃષિ ક્ષેત્રમાં છેલ્લા 23 વર્ષથી સક્રિય છે. જેમનો અભ્યાસ પણ કૃષિ વિષય સાથે જ થયો છે. જેમણે તાજેતરમાં કેન્દ્ર સરકારમાં પાસ થયેલ 3 બિલને લઇને પોતાનો મત રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, આ બિલ પાસ થવાથી દેશના તમામ ખેડૂતોને વધુને વધુ ફાયદો થશે. ઘણા લોકો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને 1990માં થયેલ પ્રસ્તાવની વાતો કરવામાં આવી રહી છે તે સમયમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, આ કાયદો ખરેખર ખેડૂતોના નુકસાન માટે નહીં પરંતુ ફાયદા માટે છે. આ કાયદો ખરેખર 6 વર્ષ પહેલા આવવાની જરૂર હતી પરંતુ દેર આયે દૂરરસ્ત આયે તે રીતે આ કાયદો પસાર થયો છે.
મારા પુસ્તક ઇન્ડિય એગ્રીકલ્ચર અનફોર્ચ્યુનેટલી 360 ડિગ્રી તેમાં પણ આ પ્રકારના પરિવર્તનની વાત કરી હતી અને હાલ આ કાયદાને લઇને જે રીતે વિવાદ થઇ રહ્યો છે તે કોઇ ગેરસમજને કારણે થઇ રહ્યો છે અથવા તો કોઇ વ્યક્તિગત સ્વાર્થના કારણે કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં કેન્દ્રમાં સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ આ કાયદાથી ખરેખર ખેડૂતોને ફાયદો જ થવાનો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, અમેરિકામાં અને યુરોપમાં નિષ્ફળ ગયેલ છે તો આપણે અહીં આ મૉડલ અહીં ન અપનાવવું જોઇએ, અને પરંતુ ખરેખર આપને જણાવું તો અમેરિકા અને યુરોપમાં પ્રોડક્શન પર સબસિડી મળે છે અને આપણા દેશમાં ઇનપુટ પર સબસિડી મળતી હોય છે.
