કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ફરી એક વખત પશ્ચિમ બંગાળના પ્રવાસે
Live TV
-
પશ્ચિમ બંગાળની રાજકીય લડત માટે ભાજપના ટોચના નેતાઓ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરી રહ્યા છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ફરી એક વખત પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોચ્યા હતા હતા.
પશ્ચિમ બંગાળની રાજકીય લડત માટે ભાજપના ટોચના નેતાઓ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરી રહ્યા છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ફરી એક વખત પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોચ્યા હતા હતા. અમિત શાહે પાર્ટીની પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવવાની સાથે રાજ્યની જનતાની સાથે સંવાદ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે કોલકાતાના રાસ બિહારી એવેન્યૂ સ્થિત ભારત સેવાશ્રમ સંઘ પહોચ્યા હતા. 12 કલાકે ગંગાસાગર સ્થિત કપિલ મુનિ આશ્રમ પણ ગયા હતા. ત્યાર બાદ તેમણે નામ ખાનાના ઇન્દિરા મેદાનથી પરિવર્તન યાત્રાને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પોતાના સંબોધનમાં જનતાને અપીલ કરી હતી કે પ્રધાનમંત્રી નરે્દ્ર મોદીને સોનાર બાંગ્લા બનાવવાનો મોકો આપો. બપોરે બે વાગે નારાયણપુરમાં, એક શરણાર્થી પરિવારના ઘરે ભોજન લીધા બાદ તેઓ નામ ખાનાના સ્મશાન કાલી મંદિરથી રોડ શોનો પ્રારંભ કરાવ્યો હતો. મોડી સાંજે તેઓ અરવિંદો આશ્રમ પણ જશે.
