કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વીરતા પુરસ્કારના નવા વેબ પોર્ટલને લોન્ચ કર્યું
Live TV
-
આજે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વીરતા પુરસ્કારના નવા વેબ પોર્ટલને લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ ભારતીય સંરક્ષણ દળોનું એક સંયુક્ત ઉપક્રમ છે. વીરતા પુરસ્કાર પ્રાપ્ત સૈનિકોનાં પરાક્રમના સંપૂર્ણ પ્રદર્શન અને તેમના શૌર્યની પ્રશંસા કરવા માટેનું આ એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ છે. આ અવસરે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સૈનિક કોઈ પણ લાલચ માટે નહીં પરંતુ દેશના માન-સન્માનની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે. આ પ્રસંગે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઈ-પત્રિકા 'શૌર્યવાન'નું વિમોચન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સીડીએસ બિપિન રાવત ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
