કેરળમાં સબરી માલા મંદિરના કપાટ આજે ખોલી દેવાયા
Live TV
-
સુપ્રિમ કોર્ટે હાલમાં જ એક ઐતિહાસિક નિર્ણયમાં સબરીમાલા મંદિરમાં બધી ઉંમરની મહિલાઓના પ્રવેશને અનુમતી આપી હતી
કેરળમાં સબરી માલા મંદિરના કપાટ આજે ખોલી દેવાયા છે. સુપ્રિમ કોર્ટે હાલમાં જ એક ઐતિહાસિક નિર્ણયમાં સબરીમાલા મંદિરમાં બધી ઉંમરની મહિલાઓના પ્રવેશને અનુમતી આપી હતી. સુપ્રિમ કોર્ટના આદેશના વિરોધમાં પ્રદર્શનો વચ્ચે આજે મંદિરના કપાટ ખોલી દેવાયા હતા. કોઇ અપ્રિય ઘટના ન થાય તે માટે મંદિર સાથે રાજ્યભરમાં સુરક્ષાની સખત વ્યવસ્થા કરાઇ છે. જ્યારે મંદિરની અંદર સ્થિતિ શાંતિપૂર્ણ છે. સબરીમાલા મંદિરના કપાટ ખોલી દેવાયા છે છતાં જે મહિલાઓ અંદર જવા માંગતી હતી. તેમણે વિરોધ પ્રદર્શનકારીઓએ અંદર જવા દીધા નથી.
