કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ કે સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરશે નહીં: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
Live TV
-
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અથવા સાંસદોનું જૂથ સંસદભવનના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન નહીં કરે.
ગઈકાલે સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કામુક્કીની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આ ઘટનામાં બે સાંસદો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
