ગૃહ મંત્રાલય સંબંધી સંસદીય સ્થાયી સમિતિની બેઠક
Live TV
-
સમિતિનું અધ્યક્ષપદ કોંગ્રેસ નેતા આનંદ શર્મા કરશે
ગૃહ મંત્રાલય સંબંધી સંસદીય સ્થાયી સમિતિની બેઠક આજે મળવા જઇ રહી છે. બેઠકમાં કોરોના મહામારી પ્રબંધન અને તે સંબંધી મુદ્દા અંગે ચર્ચા થશે. સમિતિનું અધ્યક્ષપદ કોંગ્રેસ નેતા આનંદ શર્મા કરશે. બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા મહામારીના સંદર્ભમાં લેવામાં આવેલા પગલાંની ચર્ચા થશે. આ પહેલાં જુલાઇમાં મળેલી બેઠકમાં સમિતિના સભ્યોએ અધિકારીઓને કોરોનાના ઉપચાર માટેની મોંઘી દવાઓ અંગે પુછપરછ કરી હતી. સભ્યોએ દવાઓના કાળાબજારના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો.
