ચીન પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની સંયુક્ત બેઠક પછી જમ્મુ-કાશ્મીરના કરાયેલા ઉલ્લેખને ભારતે ફગાવ્યો
Live TV
-
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યુ, વિદેશ મંત્રાલયે સંબધિત દેશોને ભારતના આંતરિક મામલે હસ્તક્ષેપ ન કરવા આપી સલાહ
ભારતે ચીન અને પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચેની બીજા તબક્કાની વ્યૂહાત્મક બેઠકને અંતે, જારી સંયુક્ત અખબારી નિવેદનમાં જમ્મુ - કાશ્મીરના ઉલ્લેખ સામે વિરોધ નોંધાવ્યો છે. મીડિયાના એક પ્રશ્નના ઉત્તરમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું , કે જમ્મુ - કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારત અપેક્ષા રાખે છે, કે કોઇ અન્ય પક્ષ તેની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ ના કરે. તેમણે કહ્યું કે ભારત,, ચીન -પાકિસ્તાન ,આર્થિક કોરિડોર પર પોતાનું વલણ પહેલાં જ , સ્પષ્ટ કરી ચુક્યું છે. પ્રવક્તાએ જણાવ્યું , કે ભારત , પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ -કાશ્મીરની યથાવત સ્થિતીને , પ્રભાવિત કરનારી અન્ય દેશોની નીતિઓનો કડક વિરોધ કરે છે , અને ઇચ્છે છે કે સંબંધિત દેશ આ પ્રકારની કાર્યવાહી થી દૂર રહે
