જમ્મુ-કાશ્મીરમાં કુલગામમાં ભાજપના ત્રણ કાર્યકરની ગોળી મારીને હત્યા
Live TV
-
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ગુરૂવારે આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા નીપજાવી હતી.. સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા દળ દ્વારા સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરીને તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે..
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ગુરૂવારે આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા નીપજાવી હતી.. સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા દળ દ્વારા સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરીને તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.. આ ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ હતું અને આ અંગે પ્રધાનમંત્રીએ પોતાના એક ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, ભાજપના આ ત્રણ યુવા કાર્યકર્તા પ્રદેશમાં ખુબ સારૂ કાર્ય કરી રહ્યાં હતાં. તેઓની હત્યા બદલ દુઃખ સાથે પ્રધાનમંત્રીએ આ ઘટનાની નિંદા કરી હતી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
