સાઉદી અરબે કરેલી ભૂલ વહેલી તકે દૂર કરવામાં આવેઃ ભારત
Live TV
-
આગામી નવેમ્બર મહિનામાં સાઉદી અરબમાં આયોજીત થનારા જી-20 સંમેલનના ઉપલક્ષ્યમાં સાઉદીની નેશનલ બેંક તરફથી બહાર પાડવામાં આવેલી 20 રિયાલની નોટમાં જમ્મુ-કાશ્મીરને ભારતીય નક્શામાં નહીં દર્શાવવાના મામલે ભારતે નારાજગી વ્યક્ત કરી છે.
આગામી નવેમ્બર મહિનામાં સાઉદી અરબમાં આયોજીત થનારા જી-20 સંમેલનના ઉપલક્ષ્યમાં સાઉદીની નેશનલ બેંક તરફથી બહાર પાડવામાં આવેલી 20 રિયાલની નોટમાં જમ્મુ-કાશ્મીરને ભારતીય નક્શામાં નહીં દર્શાવવાના મામલે ભારતે નારાજગી વ્યક્ત કરી છે.. ભારેત સાઉદી અરબને જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં જે પણ ભૂલ થઈ છે તેને વહેલી તકે દૂર કરવામાં આવે.. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ મામલે જણાવ્યું હતું કે, નવી દિલ્હ સ્થિતિ સાઉદી દૂતાવાસ અને રિયાલ સ્થિત ભારતીય દૂતાવાસના માધ્યમથી સાઉદી સરકારને આ મામલે અવગત કરાવવામાં આવ્યાં છે.. અને આ ખામીને વહેલામાં વહેલી તકે સુધારી લેવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સાઉદી અરબને જણાવવા માંગીએ છીએ કે, જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગો છે..
