જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ પર રાજનાથ સિંહે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓને અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. સાઉથ બ્લોક અને અન્ય સુરક્ષા સંબંધિત એજન્સીઓના વડાઓએ હાજરી આપી હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ બેઠકનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલાનો સામનો કરવાના માર્ગો શોધવાનો છે. આતંકવાદીઓ જમ્મુ વિભાગના પહાડી જિલ્લાઓમાં સેના, સુરક્ષા દળો અને નાગરિકો પર ઓચિંતા હુમલા કરી રહ્યા છે.
10 ઓગસ્ટના રોજ, અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર દરમિયાન 2 સૈનિકો અને એક નાગરિક માર્યા ગયા હતા. જુલાઈમાં, ગૃહ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે આ વર્ષે 21 જુલાઈ સુધીમાં 11 આતંકવાદ સંબંધિત ઘટનાઓ અને 24 આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓ સહિત 28 લોકો માર્યા ગયા છે.
વાસ્તવમાં કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને સામાન્ય કરવી ખૂબ જ જરૂરી છે. 9 ઓગસ્ટના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમની ટીમ સાથે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી.
