જાણીતા ઉર્દૂ કવિ ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે
Live TV
-
જાણીતા ઉર્દૂ કવિ ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે.
ગુલઝાર હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે અને આયુગના શ્રેષ્ઠ ઉર્દૂ કવિઓમાંના એક ગણાય છે. જગતગુરુ રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાં તુલસી પીઠના વડા છે અને એક પ્રખ્યાત હિંદુ આધ્યાત્મિક નેતા, શિક્ષક અને 240થી વધુ પુસ્તકો અને ગ્રંથોના લેખક છે.
જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રતિભારાયની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ આ વર્ષના જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરી હતી. 1944માં સ્થાપિત પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર દર વર્ષે ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.
