દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED કરાશે પૂછપરછ
Live TV
-
CBI પૂછપરછ માટે મોકલાયું સમન્સ
દિલ્લીમાં લિકર પોલિસી કૌભાંડ સંદર્ભે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પર મુશ્કેલીઓ વધી છે. સીબીઆઇએ કેજરીવાલની પુછપરછ માટે સમન્સ પાઠવામાં આવ્યુ છે. આ સાથે કથિત લિકર પોલિસી કૌભાંડ સંદર્ભે સીબીઆઇ કેજરીવાલની પુછપરછ કરાશે. અનુમાન છે, કે વિઝિલન્સ દ્વારા આપેલ રીપોર્ટમાં નવી આબકારી નીતિઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના કારણે સીબીઆઇએ તપાસ શરૂ કરી હતી. . આ મુદ્દે આમ આદમી પાર્ટીએ કહ્યુ છે, કે સીબીઆઇ આપેલ નોટીસને લઇ દિલ્લી સરકાર કોઇ પણ સંજોગોમાં ડરશે નહિ. આ નોટીસને લઇ મુખ્યમંત્રી કેજરીવાલ 16 એપ્રિલે હાજર થશે. જો કે આ કેસને લઈને ઉપમુખ્યમંત્રી મનીશ સિસોદિયા પહેલાથી જ જેલમાં છે.
