દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર અને સેશેલ્સના વિદેશ અને પર્યટન મંત્રી સિલ્વેસ્ટર રાડેગોંડે વચ્ચે બેઠક યોજાઈ
Live TV
-
આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર અને સેશેલ્સના વિદેશ અને પર્યટન મંત્રી સિલ્વેસ્ટર રાડેગોંડે વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને ક્ષેત્રીય ચિંતાઓ પર પણ ચર્ચા કરી હતી.
ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે; ભારત અને સેશેલ્સે યુવા અને રમતગમતના ક્ષેત્રે નાના વિકાસ પ્રોજેક્ટના સહકાર અને અમલીકરણ અંગે ભારતીય અનુદાન સહાય અંગેના એમઓયુની આપલે કરી હતી. વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આજની વાતચીત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે.
