દેશભરમાં આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે
Live TV
-
દેશભરમાં આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. આ અવસર પર દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરમાં આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. આ અવસર પર દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં 'ભારતના વિભાજનની કહાની-1946'ના વિષય પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે સાંજે આ કાર્યક્રમને સંબોધિત કરશે. આ અવસર પર ભારતના વિભાજનની કહાનીની થીમ પર આજથી એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોની યાદમાં જંતર-મંતરથી કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક સુધી એક રેલી પણ યોજવામાં આવશે.
