દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 85.3 ટકા, મત્યુ દર 1.6 ટકા પર
Live TV
-
સરકાર દ્વારા લેવાઇ રહેલા સઘન પગલાંને કારણે કોરોના મોરચે સારા પરિણામો સામે આવી રહ્યા છે.
સરકાર દ્વારા લેવાઇ રહેલા સઘન પગલાંને કારણે કોરોના મોરચે સારા પરિણામો સામે આવી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ 52 લાખ 73 હજાર 201 લોકો સારવારને અંતે કોરોનાને માત આપીને સાજા થઇ ચુક્યા છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધીને , 83.53 ટકા થયો છે. મૃત્યુદર પણ ઘટીને 1.56 ટકા થઇ ચુક્યો છે. વિશ્વમાં ખૂબ જ નીચો મૃત્યદર ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. દેશમાં સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યા સતત વધી રહી છે.
