દેશમાં 24 કલાકમાં કોરોનાના 63,490 નવા કેસ નોંધાયા, 53,322 દર્દી થયા સ્વસ્થ
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63,490 નવા કેસ નવા કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં કુલ 944ના મોત સાથે, અત્યાર સુધી દેશમાં કુલ 49,980 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,322 દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 18,62,258 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 6,77,444 દર્દીઓ સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં 7,46,608 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,93,09,703 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
