નવી મુંબઈ: ઉરણમાં ONGC પ્લાન્ટમાં ભીષણ આગ, 4નાં મોત
Live TV
-
ત્રણ લોકો ઘાયલ: તેલના ઉત્પાદન પ્રક્રિયા પર આગની કોઈ અસર નથી થઈ
મુંબઈમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGCના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોનું મોત થયું છે. વધારે ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નવી મુંબઈ સ્થિત ઉરણના ઓએનજીસીના પ્લાંટમાં આ આગ લાગી હતી. આજે સવારે સાત વાગે આ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જોકે પ્રાથમિક માહિતી અનુસાર તેલના ઉત્પાદનની પ્રક્રિયા પર આગની કોઇ અસર થઇ નથી.
