પંજાબ રેલ દૂર્ઘટના પીડીતોની મુખ્યમંત્રી અમરિંદર સિંહએ સૌજન્ય મુલાકાત લીધી
Live TV
-
પંજાબ રેલ દૂર્ઘટના પીડીતોની પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ સૌજન્ય મુલાકાત લીધી અને કહ્યું કે આ ગોઝારી ઘટનાની મેજીસ્ટ્રેટ તપાસ થશે
પંજાબ રેલ દૂર્ઘટના પીડીતોની પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ સૌજન્ય મુલાકાત લીધી અને કહ્યું કે આ ગોઝારી ઘટનાની મેજીસ્ટ્રેટ તપાસ થશે. તેમણે 4 અઠવાડીયામાં રીપોર્ટ તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે મૃતકોના પરિવારજનોને વળતર પેટે રાજ્ય સરકારે તરફથી રૂપિયા 3 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. મૃતકોના પરિવારને 5 લાખનું વળતર આપવામાં આવશે. ઉપરાંત રાજ્યમાં એક દિવસના શોકનું એલાન કરવામા આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમૃતસર ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુ આંક 59 અને ઘાયલોની સંખ્યા 70ને પાર પહોંચી છે. પ્રધાનમંત્રીએ અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ કરવા વહીવટી તંત્રને આદેશ કર્યા છે.
