પ.બંગાળ : મહાનંદા નદીમાં બોટ પલટી, 3ના મોત, 28ને રેસ્ક્યુ કરાયા
Live TV
-
ઓવરલોડ થતાં બોટ પલટી ગઈ, મૃત્યુઆંક વધવાની શક્યતા
પશ્ચિમ બંગાળમાં માલદાથી બિહાર જઈ રહેલી 60 લોકોથી ભરેલી એક બોટ કટિહાર વિસ્તારમાં મહાનંદા નદીમાં પલટી ગઈ. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે..માનવામાં આવી રહ્યું છે કે, મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે કારણ કે બોટમાં કુલ 50 થી 60 લોકો સવાર હતા..રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધી 28 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ 28 લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બોટમાં સવાર તમામ લોકો પશ્ચિમ બંગાળથી બિહાર જઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની.
