પાયરસીથી ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને દર વર્ષે 20,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન : અનુરાગ ઠાકુર
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે પાયરસીથી ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને દર વર્ષે 20 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર ફિલ્મ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા લોકોના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, સંસદે આ જોખમને રોકવા માટે આ વર્ષે ચોમાસા સત્ર દરમિયાન સિનેમેટોગ્રાફ (સુધારા) અધિનિયમ, 2023 પસાર કર્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મ પાયરસીને રોકવા માટે સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
