પીએમ મોદી આજે 'મેરા બૂથ સબસે મઝબૂત' અભિયાન અંતર્ગત બૂથ સ્તરના કાર્યકરો સાથે કરશે વાતચીત
Live TV
-
પીએમ મોદી આજે 'મેરા બૂથ સબસે મઝબૂત' અભિયાન અંતર્ગત બૂથ સ્તરના કાર્યકરો સાથે કરશે વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત કરવાના છે. આ સંવાદ "મેરા બૂથ સબસે મઝબૂત" અભિયાન અંતર્ગત યોજવામાં આવશે.
આ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પાર્ટીના સમર્પિત કાર્યકરો બિહારમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ની જીત સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ ઊર્જા સાથે કામ કરી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, આવા સમર્પિત કાર્યકરો સાથે વાતચીત કરવી તેમને હંમેશા નવી પ્રેરણા પૂરી પાડે છે. આ સંવાદ દ્વારા પીએમ મોદી બૂથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપશે અને ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે.
