બિહાર ચૂંટણી: નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા લખીસરાય, તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી આજે ભરશે ઉમેદવારી પત્ર
Live TV
-
બિહાર ચૂંટણી: નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા લખીસરાય, તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી આજે ભરશે ઉમેદવારી પત્ર
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો દોર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ક્રમમાં રાજ્યના બે દિગ્ગજ નેતાઓ આજે પોતપોતાની બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે.
નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા આજે લખીસરાય મતવિસ્તારમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે ફરી એકવાર તેમને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. વિજય સિંહા આ બેઠક પરથી અગાઉ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કુલ ચાર વખત જીત મેળવી છે.
બીજી તરફ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ આજે ઉમેદવારી નોંધાવશે. તેઓ રાઘોપુર મતવિસ્તારમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તેજસ્વી યાદવ વૈશાલી જિલ્લાના આ રાઘોપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ત્રીજી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
