પ્રધાનમંત્રીની ખેડુતોને ભેટ
Live TV
-
PMએ કૃષિ વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાનું આપ્યું ફંડ, ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા કરાયા ટ્રાન્સફર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત એક લાખ કરોડ રુપિયાની ધિરાણ યોજના શરુ કરી છે. અને પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતાઓમાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. પીએમએ દેશવાસીઓને બલરામ જયંતિ, હળછઠ અને દાઉ જન્મોત્સવની શુભકામનાઓ આપતા કહ્યું હતું કે, એક લાખ કરોડ રુપિયાની ધિરાણ યોજનાથી લાખો ખેડૂતોને મોટો લાભ મળશે. જુલાઈમાં કૃષિ માળખાકીય સુવિધાને લઈને સરકારને ધિરાણનું વિસ્તરણ કરવા માટે એક લાખ કરોડ રૂપિયાની કૃષિ ફન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપનાની મંજૂરી આપી દીધી છે. આ સાથે તેમણે કહ્યું, કે આ કાર્યક્રમ અંતર્ગત પીએમ-કિસાન યોજના હેઠળ સહાયતા રકમનો છઠ્ઠો ભાગપણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17,000 કરોડ રુપિયા જમા કરવામાં આવ્યાં છે.
