સ્વદેશી ધોરણે સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાની દિશામાં સંરક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
Live TV
-
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે સંરક્ષણ મંત્રાલય આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવા ભલામણ કરશે. સંરક્ષણ મંત્રીએ જે 101 સંરક્ષણ ઉપકરણોની આયાત પર ચોક્કસ મુદત માટે પ્રતિબંધ મુકાવા જઇ રહ્યો છે તેની યાદી પણ આપી હતી. યાદીમાં સ્નાઈપર ગન, રોકેટ લોન્ચર, બેલાસ્ટીક હેલ્મેટ, સબમરીન રોકેટ લોન્ચર સહિતના સંરક્ષણ ઉપકરણોનો સમાવેશ થાય છે.
તજજ્ઞોનું માનવું છે 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવતાં તેના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ મળશે. ખાનગી ક્ષેત્ર પણ તેમાં યોગદાન કરી શકે છે. સંરક્ષણ મંત્રાલયના આ નિર્ણયથી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે
