પ્રધાનમંત્રી આજે દિલ્હીમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એશોસીએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ 2024 ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિયેશન (CLEA)-કોમનવેલ્થ એટર્ની અને સોલિસીટર્સ જનરલ કોન્ફરન્સ (CASGC) 2024નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ દરમિયાન સભાને પણ સંબોધિત કરશે. આ કોન્ફરન્સની થીમ ‘જસ્ટિસ ડિલિવરીમાં ક્રોસ-બોર્ડર ચેલેન્જીસ’ છે. તે કાયદા અને ન્યાયને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે ન્યાયિક પરિવર્તન અને કાયદાકીય પ્રેક્ટિસના નૈતિક પરિમાણો, એક્ઝિક્યુટિવ જવાબદારી અને આધુનિક કાનૂની શિક્ષણ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા જેવા અન્ય મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે.
આ કોન્ફરન્સમાં વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો તેમજ એશિયા-પેસિફિક, આફ્રિકા અને કેરેબિયનના કોમનવેલ્થ દેશોના એટર્ની જનરલ અને સોલિસિટર્સ હાજરી આપશે. આ કોન્ફરન્સ કોમનવેલ્થ દેશોના કાનૂની બિરાદરીના વિવિધ હિસ્સેદારો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા માટે એક વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
આ કોન્ફરન્સ કાયદાકીય શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય ન્યાય ડિલિવરીમાં પડકારોનો સામનો કરવા માટે એક વ્યાપક રોડમેપ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે એટર્ની અને સોલિસિટર જનરલ માટે ખાસ રાઉન્ડ ટેબલનું પણ આયોજન કરશે.
