પ્રધાનમંત્રી ઝારખંડ ખાતે થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરશે
Live TV
-
15 નવેમ્બર જન-જાતીય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન દેશભરમાં કરવામાં આવશે. યાત્રાના પ્રથમ ચરણમાં અનુસૂચિત જનજાતિની વસતિ ધરાવતા 110 નોંધપાત્ર જિલ્લાઓ થી કરવામાં આવશે. યાત્રાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 નવેમ્બર થી કરવામાં આવશે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા 13848 સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરશે અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાનું કામ કરશે.
આ યાત્રાનો મુખ્ય ઉદેશ્ય સરકારી યોજનાનો પ્રચાર કરવાનો, યોજના લાભાર્થીઓ સાથે મુલાકાત કરવાનો અને સંભવીત લાભાર્થીઓની નોંધણી કરીને સરકારી યોજનાઓના લાભ 100 ટકા તેમના સુધી પોહચાડવાનો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગુજરાતમાં પ્રારંભ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 15 નવેમ્બરે શરૂ કરવામાં આવશે. આ યાત્રાનો ગુજરાતમાં અંબાજી ખાતે થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં આ યાત્રા નવ આદિવાસી જિલ્લાઓનો પ્રવાસ કરશે અને એક દિવસમાં બે ગ્રામ પંચાયતોને આવરી લેશે.
