પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ મંત્રીઓ અને સાંસદો સાથે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ, ગોધરાકાંડ પર આધારિત ફિલ્મના PMમોદી કરી ચૂક્યા છે વખાણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાજે સંસદના બાલયોગી ઓડીટોરીયમ ખાતે ફિલ્મ "ધ સાબરમતી રીપોર્ટ" નિહાળી હતી. પ્રધાનમંત્રી મોદી સાથે કેન્દ્રીય પ્રધાનો અને સાંસદો સહિતની હસ્તીઓએ હાજરી આપી હતી.તો અભિનેતા વિક્રાંત મેસી પણ હાજર રહ્યા હતો. તો અભિનેત્રી રિદ્ધિ ડોગરા, નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના અને ફિલ્મની ટીમના અન્ય સભ્યોએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.ફિલ્મનું સ્ક્રિનિંગ સાંજે 4 વાગ્યે સંસદ સંકુલની લાઇબ્રેરીમાં થયું હતું. તો પ્રધાનમંત્રી મોદીએ ફિલ્મની રિલિઝ બાદ તેમના એક્સ હેન્ડલ પર ફિલ્મની પ્રશંસા કરતી પોસ્ટ કરી હતી. જેમા કહ્યુ હતુ કે” એકદમ બરાબર, આ સારી વાત છે કે હવે સત્ય સામે આવી રહ્યુ છે અને એ પણ એવી રીતે કે આમ જનતા પણ તેને જોઈ શકે, કોઈપણ ફેક નેરેટિવ થોડા સમય સુધી ચાલી શકે અંતે તો સત્ય સામે આવી જ જાય છે.
