પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૉરેશિયસમાં ઐતિહાસિક ચૂંટણી જીત બદલ ડૉ. નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. નવીન રામગુલામને મોરેશિયસમાં તેમની ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, તેમણે ડૉ. રામગુલામ સાથે વાત કરી હતી અને તેમને મોરિશિયસનું નેતૃત્વ કરવામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને ડૉ. રામગુલામને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ વિશેષ અને અનન્ય ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે.
