પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચુરૂ ખાતે વિજય સંકલ્પ રેલીને કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશ સુરક્ષિત હાથોમાં છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ચુરૂ ખાતે વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશ સુરક્ષિત હાથોમાં છે. વર્ષ 2014 માં જે વાત લોકો સમક્ષ મુકી હતી તે વાતને દોહરાવતા પ્રધાનમંત્રીએ " સોંગદ મુઝે મીટ્ટીકી મે નહીં મિટને દુંગા " કવિતાનો ફરી ઉદ્ઘોષ કર્યો હતો. બાલા કોટ એર સ્ટ્રાઈક પછીની પ્રધાનમંત્રીની આ પ્રથમ રેલી હોવાથી ઉપસ્થિત લોકોમાં પણ ભારે ઉત્સાહ હતો.પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના ખેડુતો માટે સૌથી મોટી યોજના ગોરખપુરથી લોન્ચ થઈ.દેશના એક કરોડ ખેડુતોના ખાતામાં પૈસા જમા થઈ ચુક્યા છે. પરંતુ રાજસ્થાનના એક પણ ખેડુતને આ લાભ મળ્યો નથી, ખેડુતોની યાદી કેન્દ્ર સુધી પહોચીં નથી.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજસ્થાન સરકાર પાસેથી યાદી મેળવીને ખેડુતોના ખાતામાં નાણા જમા કરવા પ્રયાસ થશે જ.
