પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનોખા સંવાદ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનો આઠમો એપિસોડ આવતા મહિને યોજાશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનોખા સંવાદ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનો આઠમો એપિસોડ આવતા મહિને યોજાશે. પ્રોગ્રામ માટે નોંધણી MyGov પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે અને 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરીક્ષાનો તણાવ ઘટાડવાનો અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ પ્રસંગની ઉજવણી માટે પ્રોત્સાહિત કરવાનો છે.
શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છથી બાર ધોરણના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને વાલીઓ માટે બહુવિધ પસંદગીના પ્રશ્નોની ક્વિઝ સ્પર્ધા તૈયાર કરવામાં આવી છે. નોંધણી દરમિયાન, વિદ્યાર્થીઓ તેમની પસંદગીના પ્રશ્નો સબમિટ કરી શકે છે જે તેઓ પ્રધાનમંત્રીને પૂછવા માંગે છે, પરંતુ આ પ્રશ્નો પરીક્ષાના તણાવ, કારકિર્દી અને જીવનમાં ભાવિ આકાંક્ષાઓ વિશે હોવા જોઈએ.
