પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 1 લાખથી વધુ ઉમેદવારોને નિયુક્તિ પત્ર એનાયત કરાયા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નિમણૂંક પામેલા એક લાખથી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. આ નિમણૂકો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ વિભાગોમાં કરવામાં આવી છે.
આ રોજગાર મેળાથી વધુ રોજગારી ઉત્પન્ન થશે અને યુવાનોને રાષ્ટ્રીય વિકાસમાં સીધો ભાગ લેવાની તક મળશે. દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન મોડ્યુલમાં 880 થી વધુ ઈ-લર્નિંગ કોર્સ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી કર્મયોગી ભવનના સંકલિત સંકુલના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કર્યું હતું.
આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. નવ નિયુક્ત લોકો સરકારમાં વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જેમ કે, મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, સંરક્ષણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને રેલ્વે મંત્રાલયમાં વિવિધ હોદ્દાઓ પર જોડાશે.
રોજગાર મેળો એ દેશમાં રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળાથી વધુ રોજગાર સર્જનનો લાભ મળવાની અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે લાભદાયી તકો પૂરી પાડવાની અપેક્ષા છે.
નવા નિમણૂક પામેલાઓને iGOT કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે જ્યાં ‘ક્યાંય પણ કોઈપણ ઉપકરણ’ લર્નિંગ ફોર્મેટ માટે 880 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
