પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી આતંકવાદ અને જળવાયુ પરિવર્તન જેવા અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દા પર રાખી શકે છે પોતાના વિચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો 74મા સેશનમાં સંબોધન કરશે. પી.એમ. મોદીનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બીજું સંબોધન બનશે. પ્રધાનમંત્રીનું ઉદબોધન આતંકવાદ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સુધાર અને જળવાયુ પરિવર્તનનો ઉકેલ જેવા મુદ્દે કેન્દ્રીત બની શકે છે. પી.એમ. સતત વિકાસના લક્ષને સફળતાપૂર્વક હાંસલ કરવાની દિશામાં કરાયેલા ઉત્કૃષ્ટ પ્રયાસ ઉપર વિચાર વ્યક્ત કરી શકે છે. વૈશ્વિક લક્ષ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબધ્ધતા અનુરૂપ જળવાયુ પરિવર્તનની દિશામાં ભારત દ્વારા હાથ ધરાયેલા મહત્વપૂર્ણ પગલાંઓની ચર્ચા પણ થઈ શકે છે.
