પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં કુંભ મેળાની કરશે મુલાકાત
Live TV
-
પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર કાર્યક્રમમાં ભાગ લેશે અને સફાઈ કર્મચારીઓ, સ્વચ્છતા ગ્રહીઓ પોલીસના જવાનોને અને નાગરિકોને સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર પુરસ્કાર પણ એનાયત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં કુંભ મેળાની મુલાકાત કરશે. પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સફાઈ કર્મચારીઓ, સ્વચ્છતા ગ્રહીઓ પોલીસના જવાનોને, અને નાગરિકોને સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર પુરસ્કાર પણ એનાયત કરશે. આ પ્રસંગે સ્વચ્છ સેવા લાભ પેકેજની ડીજીટલ જાહેરાત પણ થશે. પ્રધાનંત્રી તે પછી એક રેલીને સંબોધશે. પ્રધાનમંત્રી ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કરશે. તેઓ પ્રયાગરાજ ખાતે સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ પણ કરશે.
