પ્રધાનમંત્રી મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા સર્કુલર ઈકોનોમી હેકાથોનના ઍવોર્ડ સમારંભમાં સંબોધન કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રીએ આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર દરેકને વિજયી ગણાવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા સર્કુલર ઈકોનોમી હૈકાથોનના ઍવોર્ડ સમારંભમાં સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર દરેકને વિજયી ગણાવ્યા. તો સાથે અત્યારની સમસ્યાઓ માટે ઇનોવેશન્સ સાથે આગળ આવવા બદલ ઉધ્યમીઓ અને યુવાનોની સરાહના કરી હતી. પ્રધાનમંત્રીએ કંઝંપ્શન પેટર્ન્સની ઇકોલોજિકલ અસર ને સમજવા તથા રિસાઈકલિંગ અને પુનઃવપરાશ વિષે પણ વાત કરી. પ્રધાનમંત્રીએ કોરોના મહામારી પછીના વિશ્વમાં યુવાનોને આગળ આવીને પડકારોનો સામનો કરવા હાંકલ કરી હતી.
