બજેટ પર કેન્દ્રીત વેબિનારની આજથી શરૂઆત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિત વિકાસના મુદ્દે કરશે ચર્ચા
Live TV
-
બજેટ પર કેન્દ્રીય વેબીનારનો આજે પ્રથમ દિવસ છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રીનગ્રોથ એટલે કે હરીત વિકાસ પર આયોજીત એક વેબીનારને સંબોધન કરશે. આ વેબીનારનો ઉદ્દેશ કેન્દ્રીય બજેટમાં કરાયેલી જાહેરાતના અમલીકરણમાં લાવવા માટે તમામ હિતકારકોને એક સાથે લાવવામાં આવે.અને તેઓમાં સમન્વય સ્થાપિત કરવામાં આવે.
11 માર્ચ સુધી આવા 12 વેબીનાર આયોજીત કરવામાં આવશે. આ કડીમાં આજે પ્રથમ દિવસ છે. વેબીનારમાં દરેક વિકાસમાં ઉર્જા અને ગેરઉર્જા બન્ને ઉપર 6 સત્ર યોજાશે. વિદ્યુત મંત્રાલય આ વેબીનારના આયોજનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. હરિત વિકાસ કેન્દ્રીય બજેટ 2023 થી 2024ની સાત ટોચની પ્રાથમિકતામાંથી એક છે. જે દેશમાં હરિત અને ઔદ્યોગીક તેમજ આર્થિક પરિવર્તન, પર્યાવરણ અનુકુળ કૃષી અને સતત ઉર્જાથી જોડાયેલ છે.. જે મોટી સંખ્યામાં રોજગાર ઉભો કરશે
