ભારતની કોવિશિલ્ડ રસીના પાંચ લાખ ડોઝ શ્રીલંકા પહોંચાડવામાં આવશે
Live TV
-
ભારત રસી બીજા દેશોને આપી રહ્યું છે ત્યારે શ્રીલંકાને પણ 5 લાખ કોવિશિલ્ડ રસીના ડોઝ પોહ્ચાડવામાં આવશે
ભારત-શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધોનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસીના 5 લાખ ડોઝ શ્રીલંકા પહોંચશે. શ્રીલંકાને કોવિડ -19 રસીની આ ભેટ ભારતની “રસી મૈત્રી” પહેલનો એક ભાગ છે, જે અંતર્ગત ભારતે અન્ય સાત દેશોને રસી ભેટ આપી છે.
આ માનવતાવાદી હાવભાવ રોગચાળા વચ્ચે ભારતની તેની “નેબરહુડ ફર્સ્ટ” નીતિ અને સાગર સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેમાં શ્રીલંકાને અગ્રણી સ્થાન છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટ દરમિયાન શ્રીલંકાના સમકક્ષ મહિન્દિ રાજપક્ષે પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને શ્રીલંકામાં કોવિડ -19 રસી પહોંચાડવી તે પૂર્તિ છે. શ્રીલંકાએ આ વર્ષે 23 જાન્યુઆરીએ રસીના કટોકટી ઉપયોગને મંજૂરી આપી હતી.
