ભારતીય ખાદ્ય નિગમ ઓનલાઈન હરાજી દ્વારા 20 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ કરશે
Live TV
-
ભારતીય ખાદ્ય નિગમ 20 લાખ ટન ઘઉંની ઓનલાઈન હરાજી દ્વારા ખુલ્લા બજારમાં વેચાણ કરશે. બજારમાં ઘઉંના વધી રહેલા ભાવ અટકાવવા માટે સરકારે આ 20 લાખ ટન ઘઉંના વેચાણની જાહેરાત કરી છે. આ અગાઉ, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓની સમિતિએ ઓનલાઈન હરાજીથી લોટની મિલો, ખાનગી વેપારીઓ, ખરીદદારો અને ઘઉંના ઉત્પાદનોના ઉત્પાદકોને વેચાણ માટે 30 લાખ ટન ઘઉં આપવાનો નિર્ણય લીધો હતો.
ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે, આ હરાજી દ્વારા અત્યાર સુધીમાં 50 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, આ હરાજીના કારણે ઘઉં અને લોટના ભાવમાં વધારો રોકવામાં આવ્યો છે.
