ભારતે કોવિડ પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો,છેલ્લા 9 દિવસમાં 1 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
Live TV
-
ભારતે જાન્યુઆરી 2020થી કોવિડ-19 પરીક્ષણના માળખામાં સતત વધારો દર્શાવ્યો છે, પરિણામે પરીક્ષણની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશની પરીક્ષણ ક્ષમતા બહુવિધ રીતે વધારી દેવામાં આવી છે, હવે દરરોજ 15 લાખ પરીક્ષણો કરી શકાય છે.છેલ્લા 24 કલાકમાં 10,75,760 પરીક્ષણો સાથે, કુલ પરીક્ષણોની સંખ્યા 10.65 કરોડને પાર થઇ ગઈ છે.છેલ્લા છ અઠવાડિયા દરમિયાન દરરોજ સરેરાશ લગભગ 11 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા છે.તેના આધારે સતત વ્યાપક અને સર્વગ્રાહી પરીક્ષણના પરિણામે પોઝિટીવીટી દરમાં ઘટાડો થયો છે. રાષ્ટ્રીય સંચિત પોઝિટીવીટી દરમાં તીવ્ર ઘટાડાએ દર્શાવ્યું છે કે ચેપ ફેલાવવાનો દર અસરકારક રીતે સમાવિષ્ટ છે. સંચિત પોઝિટીવીટી દર ક્રમશ: નીચે આવી રહ્યો છે અને આજે તે 7.54% ની સપાટીએ પહોંચી ગયો છે.
છેલ્લા ત્રણ અઠવાડિયામાં સંચિત પોઝિટીવીટી દરનું ઘટતું વલણ દેશની પરીક્ષણ સુવિધાઓના વિસ્તૃત વિસ્તરણની સાક્ષી છે.છેલ્લા નવ દિવસમાં એક કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. દૈનિક પોઝિટિવિટી દર 4.64% છે.ભારતે સક્રિય કેસના ઘટતા વલણને જાળવી રાખ્યું છે. સક્રિય કેસનો આંક આજે 6,03,687 છે. જેમાં દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 7.51%નો સમાવેશ થાય છે.સક્રિય કેસનું ઘટતું વલણ સાજા થયેલા કેસની વધતી સંખ્યાને ટેકો આપે છે. કુલ સાજા થયેલા કેસની સંખ્યા 73 લાખને વટાવી ગઈ છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 67 લાખને વટાવી ગયું છે.
