મધ્યપ્રદેશઃ રાષ્ટ્રપતિએ જબલપુરમાં રાજ્ય ન્યાયિક એકેડમીના નિર્દેશકોના સંમેલનનુ ઉદ્ઘાટન કર્યુ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ માટે મધ્યપ્રદેશની મુલાકાતે છે. મુલાકાતના પ્રથમ દિવસે તેમણે જબલપુરમાં મધ્યપ્રદેશ રાજ્ય ન્યાયિક એકેડમીના નિદેશકોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ માટે મધ્યપ્રદેશની મુલાકાતે છે. મુલાકાતના પ્રથમ દિવસે તેમણે જબલપુરમાં મધ્યપ્રદેશ રાજ્ય ન્યાયિક એકેડમીના નિદેશકોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા બધા જ વિશિષ્ટ લોકો ન્યાયિક પ્રક્રિયાના મહત્વપૂર્ણ પાસાઓ પર મંથન કરવા માટે જોડાયા છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ટેક્નોલોજીના ઉપયોગથી ન્યાય પ્રક્રિયા ઝડપી બની હોવાની વાત કરી હતી. ઉદ્ઘાટન સમારોહમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેને 'ભારત કે ન્યાયાલય' અને ' મધ્યપ્રદેશ કા ન્યાયિક ઇતિહાસ ઔર ન્યાયાલય' નામના બે પુસ્તકો ભેટ આપ્યા હતા.જસ્ટિસ બોબડેએ તેમના સંબોધનમાં ન્યાયિક એકેડમી માટે કાયદાની જાણકારી સાથે તાલીમાર્થીઓના વિકાસ પર પણ ધ્યાન આપવાની વાત કરી હતી.
