મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ સજ્જ, 5મી જન આશીર્વાદ યાત્રાને નિતીન ગડકરી લીલીઝંડી બતાવશે
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી મધ્યપ્રદેશના ખંડવામાંથી પાંચમી જન આશીર્વાદ યાત્રાને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે. જનતાના આશીર્વાદ મેળવવા ભાજપ દ્વારા 5 જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી રહી છે. જેમાં જનતા તરફથી પ્રતિભાવો પણ મેળવવામાં આવે છે જે આધારે ભાજપ ઘોષણા પત્ર તૈયાર કરશે. મધ્ય પ્રદેશમાં આ વર્ષે થનારી ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ જન સમર્થન મેળવવાના પ્રયાસમાં વ્યસ્ત બન્યું છે. મહત્વનું છે કે 4 જન આશીર્વાદ યાત્રાની શરૂઆત તો અગાઉ જ થઇ ગઇ હતી. આ તમામ યાત્રા 25 સપ્ટેમ્બરે ભોપાલ પહોંચશે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યકર્તા મહાકુંભને સંબોધન કરશે.
