Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના વિરારમાં ઈમારત ધરાશાયી થતાં મોતનો આંક 14 પર પહોંચ્યો

Live TV

X
  • મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક અનધિકૃત ચાર માળની ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં મા-દીકરી સહિત 14 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, આ બનાવ બુધવારની વહેલી સવારે બન્યો હતો. કાટમાળમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા જ્યારે કેટલાક લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે અત્યાર સુધી 17 લોકો વિશે માહિતી મળી છે – 14નાં મોત, એક ઘાયલ અને બેને બચાવી લેવામાં આવ્યા છે. બુધવાર રાતે લગભગ 12.05 વાગ્યે 'રમાબાઈ અપાર્ટમેન્ટ'નો પાછળનો ભાગ ધરાશાયી થયા બાદથી બચાવ કાર્ય ચાલુ છે.

    મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક અનધિકૃત ચાર માળની ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં મા-દીકરી સહિત 14 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, આ બનાવ બુધવારની વહેલી સવારે બન્યો હતો. કાટમાળમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા જ્યારે કેટલાક લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે અત્યાર સુધી 17 લોકો વિશે માહિતી મળી છે – 14નાં મોત, એક ઘાયલ અને બેને બચાવી લેવામાં આવ્યા છે. બુધવાર રાતે લગભગ 12.05 વાગ્યે 'રમાબાઈ અપાર્ટમેન્ટ'નો પાછળનો ભાગ ધરાશાયી થયા બાદથી બચાવ કાર્ય  ચાલુ છે.

    વસઈ-વિરાર મહાનગરપાલિકા (VVMC)ની ફરિયાદ બાદ પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે. NDRFની 5મી બટાલિયનની બે ટીમો સ્થળ પર કામગીરી કરી રહી છે. પાલઘરના જિલ્લા કલેક્ટર ઈંદુ રાણી જાખડએ જણાવ્યું કે મલબામાં હજી વધુ લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. જિલ્લા આપદા વ્યવસ્થાપન અધિકારી વિવેકાનંદ કદમે જણાવ્યું કે જે 'ચાળ' પર આ ઇમારત ધરાશાયી થઈ, તે ઘટના સમયે ખાલી હતી.

    સાવચેતીના ભાગરૂપે આજુબાજુની તમામ ચાળો ખાલી કરાવીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કદમે જણાવ્યું કે 2012માં બનેલી રમાબાઈ અપાર્ટમેન્ટમાં કુલ 50 ફ્લેટ હતા, જેમાંથી ધરાશાયી થયેલો ભાગ 12 ફ્લેટનો હતો. VVMCના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે ઇમારત ગેરકાયદેસર હતી. કાટમાળ દૂર કરવામાં વિલંબ થયો કારણ કે ભારે મશીનો ત્યાં પહોંચી શકી નહીં જ્યાં ઇમારત ધરાશાયી થઈ હતી.

    VVMCના સહાયક કમિશનર ગિલ્સન ગોન્સાલ્વેસે બુધવાર મોડી રાત્રે જણાવ્યું, “હાલ કાટમાળ દૂર કરવાનું કાર્ય ચાલુ છે. શરૂઆતના કલાકોમાં VVMCની ટીમો અને NDRFની બે યુનિટોએ હાથથી કાટમાળ દૂર કર્યો હતો. હવે આ કામ મશીનની મદદથી યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.” આ અકસ્માતના કારણે ઘણાં કુટુંબો ઘરવિહોણા બન્યા છે. તમામ અસરગ્રસ્ત કુટુંબો હાલમાં ચંદનસર સમાજ મંદિર ખાતે આશ્રય લીધું છે જ્યાં તેમને ભોજન, પાણી, તબીબી મદદ અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply