રાહુલ ગાંધીએ અમર્યાદિત ટિપ્પણી અંગે SC સમક્ષ બિનશરતી માફી માંગી
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સુપ્રિમ કોર્ટમાં અદાલતની અવમાનના કેસમાં નવી પીટીશન દાખલ કરી બિનશરતી માફી માંગી છે.
રફાલ કેસમાં સુપ્રિમ કોર્ટને ટાંકીને રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી ઉપર અમર્યાદિત ટીકા ટીપ્પણી કરી હતી. આ અગાઉ દાખલ કરેલ પીટીશનમાં રાહુલ ગાંધીએ ખેદ વ્યક્ત કર્યો હતો.
જેનાથી અદાલત સંતુષ્ટ થઈ ન હતી. આજે દાખલ કરેલી પીટીશનમાં , રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટની બીન શરતી માફી માંગી છે. તેમાં જણાવાયું છે , કે ન્યાય પ્રક્રિયામાં બાધા ઉભી કરવાનો, તેમનો ઇરાદો ન હતો.
અદાલતની કાર્યવાહી પ્રભાવિત થાય એવું હું કરી ન શકું. હું ન્યાય પ્રક્રિયાનું ગૌરવ કર્યું છે. શુક્રવારે અદાલત એ બાબત ઉપર વિચાર કરશે કે અદાલતની અવમાનના સંબંધમાં દાખલ કરેલી આ પીટીશન પર્યાપ્ત છે કે કેમ?
