બાકીના 2 તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ
Live TV
-
પ્રધાનમંત્રીએ પ.બંગાળના બંકુરામાં ચૂંટણી સભાને સંબોધી
લોકસભા ચૂંટણીમાં બાકી રહેલા 2 તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ જોવા મળી રહ્યું છે.તમામ રાજકીય નેતાઓ અને ઉમેદવારો પોતાની જીત માટે જનસંપર્ક અને રેલીઓ કરી રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બંકુરા ચૂંટણી સભાને સંબોધી હતી.પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.PMએ કહ્યું કે મમતા દીદીએ બંગાળને બર્બાદ કરી નાંખ્યું છે.તો પ્રધાનમંત્રી બંગાળના પુરુલિયા વધુ એક જનસભાને સંબોધન કરવાના છે.ત્યારબાદ પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના આઝમગઢ, જોનપુર અને પ્રયાગરાજમાં પણ ચૂંટણી સભા સંબોધશે.
