આજે મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની જયંતી
Live TV
-
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આજે મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પણ જયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, મહારાણા પ્રતાપની જીવનગાથા, સાહસ, વીરતા, આત્મ-સન્માન અને શૌર્યનું પ્રતીક છે જે દેશવાસીઓને દેશભક્તિ માટે હંમેશાં પ્રેરિત કરતી રહેશે.
ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 158મી જન્મજયંતી આજે મનાવવામાં આવી રહી છે. આ અવસરે તેમના સન્માનમાં ઘણાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વિટ સંદેશમાં રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે ગોપાલ કૃષ્ણ ગોખલેની પણ જયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એક ટ્વિટ સંદેશમાં કહ્યું કે, ગોપાલ કૃષ્ણ ગોખલે શિક્ષા અને સમાજ સુધારના ક્ષેત્રમાં યોગદાન માટે જાણીતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગોપાલ કૃષ્ણ ગોખલે નબળા વર્ગને સશક્ત બનાવવાની દિશામાં એક મજબૂત સ્તંભ બની રહ્યા.
