વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે નવી દિલ્હીમાં બેલારુસના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે
Live TV
-
બેલારુસના વિદેશ મંત્રી સર્ગેઈ એલેનિક ગઈકાલે સાંજે તેમની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે બેઠક કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠકમાં પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ સાથે ભારત-બેલારુસ ભાગીદારીને આગળ વધારવા પર અર્થપૂર્ણ ચર્ચા થશે.
બંને મંત્રીઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ પરિપ્રેક્ષ્ય શેર કરશે. મહેમાન તેમની મુલાકાત દરમિયાન અન્ય ભારતીય મહાનુભાવોને પણ મળશે. ભારત અને બેલારુસ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે અને બંને દેશો વેપાર, અર્થવ્યવસ્થા, સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના ઘણા ક્ષેત્રોમાં એકબીજાને સહકાર આપે છે. બંને દેશો પ્રાદેશિક અને બહુપક્ષીય સંસ્થાઓમાં પણ સહકાર આપે છે.
