શારદા ચિટ ફંડ કૌભાંડ મામલે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નરને સુપ્રીમ કોર્ટનો ઝટકો
Live TV
-
ધરપકડથી બચવા માટેની સમય અવધિ વધારવાની અરજી કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે શારદા ચિટ ફંડ કૌભાંડના મામલામાં કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે ધરપકડથી બચવા માટેની સમય અવધિ વધારવાની તેમની અરજી અંગે ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને રાહત આપી ન હતી અને તેમને નીચલી અદાલતમાં જવાનું કહેવામાં આવ્યું છે. જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે કોલકાતામાં વકીલો હડતાલ પર છે તેથી રાજીવ કુમાર નીચલી કોર્ટમાં જઈ શકે તેમ નથી. જેના કારણે સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ કરવાની સંભાવનાઓ વધી ગઈ છે
