શાહીનબાગ પર સુનાવણી ટળી: SCએ કહ્યું, સુનાવણી માટે માહોલ યોગ્ય નથી
Live TV
-
શાહીનબાગ કેસમાં SC એ હાલની પરિસ્થિતને ધ્યાનમાં રાખીને દખલ દેવાનો ઈનકાર કર્યો
શાહીનબાગ કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્લીની હાલની પરિસ્થિતને ધ્યાનમાં રાખીને દખલ દેવાનો ઈનકાર કરી દીધો છે..વાટાઘાટકારોના રિપોર્ટ પર 23 માર્ચે આગામી સુનાવણી થશે
શાહીનબાગમાં રસ્તો ખોલવાના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ..સુપ્રીમ કોર્ટે દિલ્લી હિંસા પર વાત કરતા કહ્યું કે શાહીનબાગવાળી અરજી પર સુનાવણી માટે હાલ પરિસ્થિતિ યોગ્ય નથી..તેથી હાલ સુનાવણી મોકુફ રાખવી જ યોગ્ય ગણાશે..
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના શાહીનબાગમાં CAA વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ વિરોધ પ્રદર્શનના કારણે બંધ થયેલા માર્ગોને લઈને કોર્ટમાં એક જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, નાગરિકતા કાયદાના વિરોધમાં 15 ડિસેમ્બરથી મહિલાઓ શાહીનબાગ વિસ્તારમાં ધરણા પર ઉતરી છે.
