સંયુક્ત રાષ્ટ્રને વિવાદાસ્પદ નિવેદન ન કરવાની અપીલ : રવિશ કુમાર
Live TV
-
રવિશ કુમારે સ્થિતિની ગંભીરતાને જોતા કોઇ પણ વિવાદાસ્પદ નિવેદન ન કરવાની પણ અપીલ કરી છે.
દિલ્લીમાં બનેલી હિંસાત્મક ઘટનાની યુનાઇટેડ સ્ટેટ કમિશન અને ઇન્ટરનેશનલ રિલિઝિયશ ફ્રીડમ દ્રારા કરાયેલી નિંદાને ભારતે તથ્યાત્મક રીતે ખોટી અને પાયાવિહોણી ગણાવી છે. એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું હતું કે, આ ટીકા આ મુદ્દાનું રાજનૈતિકરણ કરવા માટેના હેતુથી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, હિંસાને રોકવા અને સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકારના વરિષ્ઠ પ્રતિનિધિ કામ કરી રહ્યાં છે. પ્રઘાનમંત્રી નરેન્દ્રમોદીએ પણ શાંતિ અને ભાઇચારાની અપીલ કરી છે. રવિશ કુમારે સ્થિતિની ગંભીરતાને જોતા કોઇ પણ વિવાદાસ્પદ નિવેદન ન કરવાની પણ અપીલ કરી છે.
